BBC News, ગુજરાતી - સમાચાર
Top Stories
બાંગ્લાદેશના મંદિરમાં મૂર્તિઓ સળગાવી દેવામાં આવી, પછી શું થયું?
બાંગ્લાદેશના ફરીદપુર જિલ્લામાં તણાવની સ્થિતિ છે. અહીં એક મંદિરમાં આગ લગાડવામાં આવી અને બે ભાઈઓને મારી મારીને તેમની હત્યા કરી દેવાની ઘટનાના એક અઠવાડીયા પછી પણ તણાવની પરિસ્થિતિ યથાવત્ છે.
ગુજરાત : ધર્મરથ શું છે અને ક્ષત્રિયો ધર્મરથ કેમ કાઢી રહ્યા છે?
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ છે. તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ અને ઉમેદવાર સી. આર. પાટીલે ફરી એક વાર ક્ષત્રિય સમાજને 'મોટું મન રાખવા' અપીલ કરી છે. જોકે ક્ષત્રિય સમાજ નમતું જોખવાના મૂડમાં નથી અને હવે તેણે ગુજરાતમાં 'ધર્મરથ'નું આયોજન કર્યું છે.
કચ્છના બન્નીથી લઈને મોરબીનાં સિરામિક્સ કારખાનાંમાં કામ કરતાં લોકોના મુદ્દા શું છે?
કચ્છ દેશની સૌથી મોટો વિસ્તાર ધરાવતી લોકસભા બેઠકોમાંથી એક છે. અહીંનાં ગામડાંમાં અનેક સ્થળે લોકો ભાજપને પસંદ કરે છે, તો અમુક ગામડાંઓમાં પરશોત્તમ રૂપાલાના પૉસ્ટર પર ચોકડી મારીને ભાજપના કાર્યકર્તાઓની ‘નો-એન્ટ્રી’ કરી દેવામાં આવી છે. લોકોમાં પોતાની સમસ્યાઓની ફરિયાદો બાબતે ભાજપ સામે વાંધો પણ છે.
ગુજરાતમાં પટેલોનો દબદબો કઈ રીતે વધ્યો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ કઈ રીતે ઘટતું ગયું?
હાલમાં પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વિવાદ હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. આ ઘટના બાદ ગુજરાતમાં ક્ષત્રિયો અને પટેલોની ચર્ચા શરૂ થઈ છે. એક નજર ક્ષત્રિય અને પટેલોના રાજકીય પ્રભુત્વ પર કરીએ.
ઈવીએમ-વીવીપૅટ વેરિફિકેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે બધી અરજી ફગાવીને શું કહ્યું?
ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ અને વોટર વેરિફિયેબિલ પેપર ઑડિટ ટ્રેલ એટલે વીવીપૅટ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે બધી અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે બૅલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અને વીવીપૅટ સાથે 100 ટકા મેળાપ કરવાની કરવાની અરજી પણ ફગાવી દીધી છે.
13 રાજ્યોની 88 બેઠકો પર આજે મતદાન, કયા ઉમેદવારો પર રહેશે લોકોની નજર?
આજે લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું.
ઇલેક્શન અપડેટ: કૉંગ્રેસે સુરતના ઉમેદવાર નીલેશ કુંભાણીએ વીડિયો સંદેશમાં શું કહ્યું?
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની શિસ્ત સમિતિએ સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
દરરોજ નાહવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય? રોજ ના નાહવું જોઈએ?
વારંવાર સ્નાન ન કરતા અમારા જેવા લોકોને શંકાની નજરે જોવામાં આવે છે. પ્રકૃતિપ્રેમીઓ, તંબુમાં રહેતા હિપ્પીઓના કિસ્સામાં જ નહીં, પરંતુ ઓછી વખત સ્નાન કરતા ટિકટોક યુઝર્સ તેમજ સેલિબ્રિટીઝના કિસ્સામાં પણ એવું બને છે.
વીડિયો, જળનાયિકા: આ ગામની મહિલાઓએ એવું શું કર્યું કે ભરઉનાળે પણ અહીં પાણીની તંગી નથી?અવધિ, 7,22
પાણીની આ કહાણી ગ્રામ્ય વિસ્તારોમાં આત્મવિશ્વાસુ મહિલા નેતાઓના ઉદ્ભવને દર્શાવે છે. આમાંનાં કેટલીક મહિલાઓ વંચિત સમુદાયમાંથી પણ છે.
ભારત/વિદેશ
આસામ-મણિપુરમાં જોવા મળતો આ દુર્લભ સાપ 2000 કિલોમીટરનું અંતર કાપીને સુરત કેવી રીતે પહોંચ્યો?
સંશોધકોનો દાવો છે કે તેમને જાણવા મળ્યું કે સુરતમાંથી મળેલો આ સાપ દુર્લભ છે અને અહીં જોવા નથી મળતો.
અમેરિકાની યુનિવર્સિટીઓમાં ગાઝાના સમર્થનમાં દેખાવો કેમ થઈ રહ્યાં છે?
અમેરિકાની કોલમ્બિયા, યેલ, ન્યૂયૉર્ક જેવી અગ્રગણ્ય યુનિવર્સિટીમાં મોટાપાયે વિદ્યાર્થીઓ ગાઝા પર હુમલાની વિરોધમાં પ્રદર્શનો કરી રહ્યા છે. તેમની અટકાયત કરવા છતાં તેઓ પોતાની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ગાઝાના સમર્થનમાં દેખાવ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમની માગણીઓ શું છે?
નફરતી ભાષણો માટે જ્યારે ચૂંટણીપંચે બાલ ઠાકરેનો મતાધિકાર છીનવી લીધો હતો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના એક જૂના ભાષણનો હવાલો આપતાં મુસલમાનો વિશે ટિપ્પણી કરી હતી, જેમાં તેમને ‘ઘૂસણખોર’ અને ‘વધારે સંતાનો પેદા કરતાં લોકો’ ગણાવવામાં આવ્યા હતા. ચૂંટણીપંચે તેમની સામે કોઈ પગલાં લીધાં ન હોવાથી વિપક્ષો તેમની સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
માણસના શરીરમાં રહેલું એ 'બીજું હૃદય', તેનું શું કામ હોય છે અને તે કેમ મહત્ત્વનું છે?
આ સ્નાયુ બાબતે સામાન્ય લોકો બહુ ઓછું જાણે છે, પરંતુ તેની પ્રાસંગિકતા બહુ વધારે છે અને તેની પ્રાસંગિકતા આ સ્નાયુ માણસના ઊભા રહેવા કે ચાલવા માટે જરૂરી હોવા પૂરતી મર્યાદિત નથી.
24 કલાકમાં સુરતમાં એવું તો શું બન્યું કે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા?
સુરત લોકસભા બેઠકના સાત દાયકાના ઇતિહાસમાં 22મી એપ્રિલે પ્રથમ વખત એવી ઘટના બની કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલાં જ બિનહરિફ ચૂંટાઈ આવ્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમો અને કૉંગ્રેસ પર વિવાદિત નિવેદન, ચૂંટણીપંચની ચુપકીદીનો અર્થ શું છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજસ્થાનના બાંસવાડા ખાતેના 21 એપ્રિલના ભાષણ પછી ચૂંટણીપંચની ભૂમિકા બાબતે સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. વડા પ્રધાનના દાવાઓની રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસના અનેક નેતાઓએ ઝાટકણી કાઢી હતી અને તેને ખોટા ગણાવ્યા હતા.
નવસારી: ત્રણ ટર્મથી નવસારીના સાંસદ રહેલા પાટીલ સામે શું છે પડકારો?
નવસારી બેઠક વર્ષ 2009ના નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી. અસ્તિત્વમાં આવી ત્યારથી જ અહીં ભાજપના સાંસદ સી.આર. પાટીલ છે. અહીં પાટીલ ચોથી વાર ચૂંટણી લડી રહ્યા છે અને કૉંગ્રેસમાંથી નૈષધ દેસાઈ છે. નવસારીમાં લોકોની સમસ્યા શું છે અને ચૂંટણીના મુદ્દા શું છે?
અમેરિકા જવા મૅક્સિકોના ડ્રગ લૉર્ડના ખતરનાક વિસ્તારનો પ્રવાસ, પ્રવાસીના જાતઅનુભવની કહાણી
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દક્ષિણ અમેરિકાની સરહદી પ્રવાસીઓનું આવવું એક મોટો મુદ્દો છે, પરંતુ જે બાબતે બહુ ઓછી જાણકારી છે તે સમગ્ર મૅક્સિકોમાં ફેલાયેલી ડ્રગ કાર્ટેલ છે. આ લોકો ખતરનાક પ્રવાસને વધારે ખતરનાક બનાવી દે છે.
PM મોદીએ મુસલમાનો અંગે કૉંગ્રેસની સરકાર પર જે દાવો કર્યો એ કેટલો સાચો છે?
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમો વિશેના એક નિવેદન બાબતે વિવાદ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનના બાંસવાડામાં યોજાયેલી એક ચૂંટણીરેલીમાં વડા પ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે "કૉંગ્રેસ માતાઓ-દીકરીઓનું સોનું ઝૂંટવીને ઘૂસણખોરોમાં વહેંચવા ઈચ્છે છે." કૉંગ્રેસે વડા પ્રધાન પર 'દેશમાં નફરતનાં બીજ વાવવાનો' આરોપ લગાવ્યો છે.